આપના અવીરત પ્રેરણાદાયી પરિણામ સ્વરૂપે અમો અમારા વ્યાપારની ક્ષીતીજો ટુંકાગાળામાં ગુજરાત રાજયની બહાર પણ વિસ્તારી શકયા છીએ.
અમો હવે એક નવા જ સાહસ અને કેડી ઉપર કદમ માંડી રહ્યા છીએ. અને એ છે...અલૌકીક ઉપવન.
કુદરતનાં સાનીધ્ય, સૌંદર્ય અને શાન્ત વાતાવરણની વચ્ચે આકાર લેતી ફાર્મ હાઉસ અને પ્લોટીંગની યોજના.
જે સરખેજથી ૭૫ કિ.મી.ના અન્તરે અને સુપ્રસિધ્ધ જૈન તિર્થધામ શંખેશ્રવરથી ૫૫ કિ. મી. પહેલાં ઉપરીયાળાજી મુકામે આકાર પામી રહી છે.જ્યાં કાચનાં દેરાસરમાં કેસરવર્ણી જયોતિથી પ્રકાશીત, આદિશ્વર દાદાની ૨૫૦૦ વર્ષ પુરાણી દિવ્ય પ્રતિમા બિરાજમાન છે. જે વિરમગામ, ગૌરૈયા, ઘાકડી, પાટડી, માંડલ અને શંખેશ્વર જેવા વિવિધ તીર્થધામની વચ્ચે તથા જ્ગમશહુર ઘુડખર અભ્યારણની નજદીક આવેલુ છે.